સાંજ પડ્યે
સુરજ શિખર પાછળ
સંતાવા માંડે અને
અડોઅડ ઉભેલા
પાઈનના પડછાયા
લાંબા થતા જાય
એની સાથે વાતાવરણ તો
ઠંડુ પડે પણ
પૃથ્વીની હૈયાવરાળનું શું?
***
***
ઉત્ક્રાંતિના ઉચ્ચતમ તબક્કે
પહોંચેલો જીવ જયારે
એનો દાટ જ વાળવા બેઠો હોય
ત્યારે પૃથ્વીથી ઉના ઉના
નિસાસા નખાઇ જાય
અને એ તમાશો જોવા
લોક હોંશે હોંશે ટોળે વળે ત્યારે
લોક હોંશે હોંશે ટોળે વળે ત્યારે
એને એમ નહિ થતું હોય કે
એ એના મનનો ઉભરો
આ નઠારાઓ સામે
ઠાલી જ ઠાલવી રહી છે!
nice
ReplyDeleteWah wah
ReplyDelete