Thursday, February 27, 2020

દીવાલો નવી નથી!

"જબ કુત્તે પે સસ્સા આયા
તબ બાદશાહ ને શહર બસાયા"
આ બધું કહેવતોમાં સંભવ છે,
બાકી કૂતરાં સસલાં પર ત્યારેય ભસતાં હતાં
અને આજે પણ ભસે છે.

સાબરમતીના કિનારે
ઝૂંપડું બાંધીને રહેતો 
માણેકનાથ બાવો
આખો દિવસ
ગોદડી સીવે 
ને રાત પડતા જ એને ઉકેલી નાખે
એ સાથે જ જોતજોતામાં 
આખા દિવસનું 
બાદશાહે કરાવેલું
કોટનું ચણતર ભોંયભેગું થઇ જાય!

ઝુંપડાવાસીઓમાં 
પોતાની મરજી વિરુદ્ધ
ચણાતી દીવાલો રોકી શકે 
એવી ચમત્કારીક શક્તિ
દંતકથાઓમાં જ
હોય છે.

***

સદીઓથી બનતી
આવી છે દીવાલો
આ શહેરમાં:

કદી નદીને એક કાંઠે
કદી નદીને બેય કાંઠે
ને કદી રોડનેય કાંઠે

કદી એમને પટાવીને*
કદી એમને હટાવીને**,
ને કદી તો બસ એમ જ***!

__________
સંદર્ભો:
* માણેકનાથને માણેક બુરજ બનાવી આપીને અમર કરવાની લાલચ આપી કોટ ચણવા દેવા મનાવ્યો હતો એનો સંદર્ભ છે.
** રિવરફ્રન્ટ નદીકાંઠાના ઝુંપડાઓનાં પુનર્વસન પછી બાંધવામાં આવ્યો હતો એનો સંદર્ભ છે.
*** આ લખ્યા સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મુલાકાત વખતે સરણીયાવાસને ઢાંકવાના પ્રયત્ન રૂપે રાતોરાત એમની સામે દીવાલ ચણી લેવામાં આવી હતી એનો સંદર્ભ છે.   

1 comment:

  1. Wah, Kya baat hai!

    Ghana divase kavi khilya... keep it up!

    ReplyDelete